| યવ-જવ
આયુર્વેદમાં મર્હિષ સુશ્રૂતે જવને 'કફપિત્તહંતા' એટલે કે કફ અને પિત્તને હણનાર કહ્યા છે. કફ અને પિત્તના રોગોમાં જવનું સેવન ઉત્તમ છે. જવ પીનસ એટલે કે શરદી, શ્વાસ, ઉધરસ, કફજ્વર, ચામડીના અને કફના રોગોમાં ઉત્તમ છે. મધુપ્રમેહીઓને જો કબજિયાત રહેતી હોય તો તે જવના ઉપયોગથી દૂર થાય છે. તેથી તેને માટે તે અમૃતતુલ્ય છે. 'યવપ્રધાનસ્તુભવેત્પ્રમેહી.' એટલે મધુપ્રમેહવાળાઓએ તો ઘઉંની જેમ જ જવની રોટલી, ભાખરી, થેપલા, પરાઠા, પૂરી વિભિન્ન બનાવટોનો ઉપયોગ કરવો જોઈએ. યવ એટલે જવ. |